સ્પાઈસજેટે શુક્રવારથી નાસિકથી દિલ્હી, હૈદરાબાદથી જમ્મૂ, મુંબઈથી ગુવાહાટી, ઝારસુગુડાથી મદુરાઈ, વારાણસીથી અમદાવાદ અને કલકત્તાથી જબલપુર માર્ગ પર ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન શરૂ કર્યું છે. ઉપરાંત સ્પાઈસજેટ અમદાવાદથી જયપુર, દિલ્હીથી હૈદરાબાદ, દિલ્હીથી ધર્મશાળા અને અમૃતસરથી અમદાવાદ સુધી પોતાની ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે.
ફલાઇટ વધી: તમામ ફ્લાઈટ માટે તે બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરશે. દેશના મુખ્ય શહેરોને જોડવા માટે કંપની બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરીને સ્પાઈસજેટ પોતાના વિમાન વધારી રહી છે. નવા રૂટ પર દેશના અનેક રૂટ જેવા કે હૈદરાબાદથી જમ્મુ, ઝારસુગુડાથી મદુરાઈ, વારાણસીથી અમદાવાદ, નાસિકથી દિલ્હી, મુંબઈથી ગુવાહાટી અને કલકત્તાથી જબલપુર રૂટ્સ પર ડાયરેક્ટ ફ્લાઈટ્સ શામેલ છે.

