દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલવે સેવાને અસર થઈ છે. સોમવારે સવારે 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો.
મોટું નુક્સાન: આ અકસ્માતમાં ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન થયું છે. લગભગ 12 ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અન્ય ટ્રેનની આવ-જા પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલને ભારે નુકશાની થયેલી જોવા મળી હતી. રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે ફરી શરૂ કરશે

