HomeGujarat10 વર્ષ બાદ 86 વર્ષના દાદાને એના દીકરાનું ડેથ સર્ટિ. મળ્યું

10 વર્ષ બાદ 86 વર્ષના દાદાને એના દીકરાનું ડેથ સર્ટિ. મળ્યું

એક દાયકા સુધી ચાલેલી લાંબી લડત બાદ 86 વર્ષના વૃદ્ધ માનસિંહ દેવધરાને પોતાના ગુમ થયેલા 38 વર્ષના દીકરાનું મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું છે. પિતા માનસિંહે વર્ષ 2012માં પોતાના દીકરા જીતેન્દ્રસિંહનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે કાયદાકીય લડત શરુ કરી હતી. નીચલી કોર્ટે જણાવ્યું કે પિતાએ કોર્ટ આવવામાં મોડું કરી દીધું હતું. કોર્ટે તેમની અરજીને નકારી કાઢી હતી.

હાઇકોર્ટની વાત: મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે નીચલી કોર્ટે જે બાબત કહીને અરજીને ફગાવી દીધી હતી તેની સામે કોર્ટે કહ્યું, “આ માણસની પ્રકૃતિ એવી છે કે જ્યારે ઘરમાંથી કોઈ સભ્ય ગાયબ થઈ જાય તો તેની વર્ષો સુધી તે પરત આવી જશે તેની રાહ જોવામાં આવતી હોય છે”. કોર્ટે એ પણ કહ્યું કે આ પ્રકારની બાબતમાં કાયદાને સીમાથી બાંધી શકાય નહીં.

આ હતો કેસ: 2016માં કોર્ટ દ્વારા તેમનો દીકરો ગુમ થયો હતો તે પછીના 10 વર્ષની સમય સીમા કરતા વધુ સમય થઈ ગયો હોવાનું કહીને તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. નીચલી કોર્ટમાંથી ન્યાય ના મળતા આખરે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

આ મામલે ગુજરાત હાઈકોર્ટના જજ એપી ઠાકરે તેમની અરજી સ્વીકારી અને સરકારને ઓર્ડર કર્યો કે તેમનો દીકરો જે દિવસે ગુમ થયો છે તે તારીખનું મૃત્યુનું પ્રમાણપત્ર તેમને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે “એવું જરુરી નથી કે પરિવારના સભ્યની માત્ર 7 વર્ષ સુધી રાહ જોવામાં આવે, ઘણાં કિસ્સામાં દાયકાઓ સુધી સુધી પણ રાહ જોવામાં આવતી હોય છે. એવી કોઈ ધારણા ના હોઈ શકે કે તે એક નિશ્ચિત સમય પછી, પરિવારના સભ્યો પોતે એવું માની લે કે ગુમ થયેલી વ્યક્તિ કઈ તારીખે કે ચોક્કસ સમયમા મૃત્યુ પામી હશે.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW