HomeNationalઅમરનાથના ભાવિકોને ટાર્ગેટ કરતા આતંકી ઠાર

અમરનાથના ભાવિકોને ટાર્ગેટ કરતા આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે રાત્રે લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હવે કાશ્મીર પોલીસે મંગળવારે માહિતી આપી છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માગે છે. બેમિના વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં એક સ્થાનિક આતંકવાદી પણ સામેલ છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે, ‘પાકિસ્તાનના હેન્ડલરોએ 2018થી પાકિસ્તાનમાં રહેતા પહેલગામના સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન મીર પર હુમલો કરવાના ઈરાદાથી બે એલઈટીના બે પાકિસ્તાની આતંકવાદીઓને મોકલ્યા હતા.’ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે.

સોમવારે પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધના આ ઓપરેશનને મોટી સફળતા ગણાવી છે. કાશ્મીર ઝોન પોલીસે આઈજી વિજય કુમારને ટાંકીને કહ્યું કે, “દસ્તાવેજો અને અન્ય સામગ્રી અનુસાર માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ ફૈસલાબાદના રહેવાસી અબ્દુલ્લા ઘૌજરી તરીકે થઈ છે. આ એક મોટી સફળતા છે. ખાસ વાત એ છે કે સોપોર એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓ નાસી છૂટ્યા હતા.

ખાસ વાત એ છે કે સરકાર અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાને લઈને ઘણી સતર્ક દેખાઈ રહી છે. ગયા અઠવાડિયે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વાર્ષિક મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે રાજભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. 43 દિવસની લાંબી યાત્રા 30થી શરૂ થઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યાત્રાની તૈયારીઓને લઈને મોટી બેઠક બોલાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW