હરિયાણા પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને કરનાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. કરનાલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપી છે કે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા ચારેય શકમંદો બબ્બર ખાલસાના સભ્ય અમરિંદર સિંહ માટે કામ કરે છે. ધરપકડ કરાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓ કન્ટેનરમાં મોટી માત્રામાં ગોળીઓ અને ગનપાઉડર લઈ જતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ ગનપાઉડર આરડીએક્સ હોઈ શકે છે.
પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓમાં ગુરપ્રીત, સંદીપ, પરમિંદર અને ભૂપેન્દ્રનો સમાવેશ થાય છે. તેઓ ફિરોઝપુર અને લુધિયાણાના રહેવાસી છે. તેઓ દિલ્હી નંબરની ઈનોવા ગાડીમાં ગનપાવડરથી ભરેલી 3 પેટી, 31 કારતૂસ અને દેશી બનાવટની પિસ્તોલ લઈને દિલ્હી તરફ જઈ રહ્યા હતા. પોલીસે તેમના પાસેથી 1 લાખ 30 હજાર રૂપિયા પણ કબજે કર્યા છે.
Haryana | Karnal Police detains four terror suspects, recovers a large cache of explosives
— ANI (@ANI) May 5, 2022
Details awaited. pic.twitter.com/4p06SH67tf
પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારે 4 વાગ્યે બસ્તર ટોલ પ્લાઝા પરથી તમામની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આતંકીઓ ઈનોવા કારમાં જઈ રહ્યા હતા. મધુબન પોલીસ સ્ટેશનની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા અને આઈબીને મળેલી બાતમીના આધારે ચારેયની ધરપકડ કરવામાં આવી છે.

કરનાલ પોલીસે મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ચારેય આતંકવાદીઓ મોટા આતંકવાદી હુમલાની શોધમાં હતા. પોલીસે તેમના કબજામાંથી હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. ચંડીગઢ, કરનાલ આઈબીની ટીમ આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

