HomeGujaratટંકારામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

ટંકારામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત રીતે એક ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.આત્મા પ્રોજેક્ટમાથી ભરતભાઈ વાઘેલા એ દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગેની માહિતી આપી હતી.એફપ્રો સંસ્થાના પિયુ મેનેજર કિમ્પલભાઈ દેત્રોજા અને FF જયેશભાઈ ભટાસણા દ્વારા ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ, બાયો કંટ્રોલ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ શિબિરમાં ટંકારા તેમજ આસપાસના ગામના અંદાજે 25 જેટલા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW