મોરબી તાલુકાના જેતપર ગામ નજીક આવેલ ઇનટાઈલ્સ નામની સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતી મંજુબેન ચંદુભાઈ વાસુનીયા નામની પરપ્રાંતીય પરણિત સગીરાએ ફેકટરીના ક્વાર્ટરમાં ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થયા બાદ તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય એક ઘટનામાં હળવદ તાલુકાના ઈશનપુર ગામના રામજીભાઈ ભવાનભાઈ રાઠોડની વાડીમાં રહી મજુરી કરતા વિક્રમભાઈ નાયક નામના મજુરની 21 વર્ષની પુત્રી મનીષાબેને અગમ્યકારણસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ હળવદ સિવિલ બાદ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં અઆવી હતીજ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

