મોરબીનાબેલા ગામથી તળાવીયા શનાળા અને નીચી માંડલ ગામ પર વાહનોની અવર જવર વધી રહી છે જેના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ રોડને સિંગલ પટ્ટીના બદલે ડબલ ટ્રેક કરવા મોરબીના સામાજિક કાર્યકરે સીએમને લેખિત રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં ખુબ જ ઔદ્યોગિક વિકાસ થયેલ છે. પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી. હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે. પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી. મોરબી-રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ના થાય તે જોવા પણ વિનંતી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડને પણ તાત્કાલિક કામ ચાલુ કરવા માંગણી છે.ત્યારે મોરબી તાલુકા વિસ્તારમાં આવતા બેલા- તળાવીયા સનાળા-નીચી માંડલને જોડતા રોડ પર મોટા પાયે વાહનોની અવર જવર રહે છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો આ રોડ ડબલ લેન કરવામાં આવે તો ટ્રાફિક હળવો થશે. આથી, આ રોડને મોટો અને સારો બનાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના મોરબીના જનરલ સેક્રેટરી એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

