મોરબી જીલ્લામાં હાલ કોરોનાના નવા કેસમાં દિન પ્રતિદિન કેસ મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે શનિવારે જિલ્લામા 1023 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 16 જ કેસ પોઝીટીવ આવ્યા હતા . આ 16 નવા કેસમાં મોરબીમાં 10 કેસ,વાંકાનેર 3 ટંકારામાં 2 અને માળીયામાં1 દર્દી કોરોના પોઝીટીવ આવ્યો છે . બીજી તરફ જિલ્લામાં 53 દર્દી સ્વસ્થ થયા હતા આ 53 દર્દીમાં મોરબીમાં 38 ,વાંકાનેરમાં 7 અને ટંકારામાં 6 અને હળવદમાં 2 રીકવર થયા હતા.મોરબીમાં આજ દિન સુધીમાં કુલ 494 622 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10686 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10 177 દર્દી સ્વસ્થ થયા છે. જયારે 93 દર્દીના સતાવાર મોત થયા હતા.જયારે એક્ટીવ કેસ ની સંખ્યા માત્ર 162 જ વધી છે

