મોરબીના અન્સ્ટોબેલ વોરીયર્સ ના કાર્યકરો 30 કિલોમીટર આગળ માળિયા મિયાણા ગામની અંદર રાયસંગપર પાટિયા પાસે માળીયા જામનગર હાઇવે પર આવેલ સંગાથ વૃદધાશ્રમની અંદર 73માં પ્રજાસત્તાક દિવસ નિમિતે વૃદ્ધોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સંગાથ વૃદધાશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ મકવાણા અને સંદીપભાઈ આ વૃદ્ધો ની અવિરત પણે પૂર્ણ શ્રદ્ધાથી સેવા પૂરી પાડે છે,
આ આયોજન ધી મીરા ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના નિર્માતા ,જયદીપભાઈ ડાભી , મોહિનીબેન ડાભી અને અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ ના પ્રમુખ .હેતલબેન પટેલ, પ્રભાબેન, કોમલબેન, પ્રીતિબેન, અને બિપીનભાઈ હાજર રહી આયોજન સફળ બનાવવા માં આવ્યું હતું.અને 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધાબળા વિતરણ કરી ને ઉજવવામાં આવી હતી.

