મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર 1માં રહેતા મુમતાજબેન મહોમદભાઈ જેડા નામની પરણીતાએ પોતાના j ઘરમાં અગમ્યકારણસર ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.ઘટના બાદ પરણીતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી મરણજનારના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને સંતામના હાલ કોઈ બાળક ન હોવાનું પણ સામે આવ્યું છે બનાવ અંગે પીએસઆઈ એલ એન વાઢિયા તપાસ ચલાવી પરણીતાના આપઘાતનું કારણજાણવા તજવીજ હાથ ધરી છે.

