મોરબીના ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા એપાર્ટમેન્ટમાં રહેતા ધરતીબેન નીલેશભાઈ માકાસણા નામની ૪૦ વર્ષની મહિલાને કેન્સર બીમારી હોય અને હાલ તેની સારવાર ચાલતી હતી આ કેન્સરથી હારી ગયેલા ધરતીબેને ઘુનડા રોડ પર આવેલ માધવ ગૌશાળા સામે આવેલ પરેશ પટેલના પ્લોટમાં દેશી બાવળના ઝાડમાં પ્લાસ્ટિક દોરી બાંધી ફાંસો લગાવી લીધો હતો ઘટનાની જાણ થતા પરિવારજનો ધરતીબેનને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વધુ તપાસ હેડ કોન્સટેબલ એન એસ મેસ્વાણીયા ચલાવી રહ્યા છે.

