HomeGujaratભાજપને સભા ગજવવી ભારે પડી, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કોરાનો સંક્રમિત

ભાજપને સભા ગજવવી ભારે પડી, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કોરાનો સંક્રમિત

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં છાત્રોથી લઈને અનેક રાજકીય આગેવાનો, નેતાઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે આજે ભાજપના સૌરાષ્ટ્રના વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કોરોના સંક્રમિત થતા આ અંગેની જાહેરાત ટ્વિટર ઉપર કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા દિવસો પહેલા ભાજપે મસમોટી સભાઓ ગજવી હતી. હવે આ સભાઓ ભાજપના નેતાઓને ભારે પડી રહી છે. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સવારે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંઊી મનિષ ચાંગેલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તો આ પહેલા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા અને નિતિન ભારદ્વાજના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. ત્યારે તેમાં ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ અંગે તેમણે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, કોવિડના લક્ષણો જણાતા તબીબોની સુચના મુજબ ટેસ્ટ કરાવ્યા હતા. જે પોઝિટીવ આવ્યાં છે. હાલમાં તબિયત સ્થિર છે અને પોતાના નિવસસ્થાને સેલ્ફ આઈસોલેડ થઈને સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનું સ્વાસ્થ્ય સાચવવું અને જરૂર પડ્યે તબીબોના માર્ગદર્શન હેઠળ તપાસ કરાવવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ તેમને સભા ગજવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW