HomeNationalભાજપે ફંડ એકઠું કરવા અભિયાન શરૂ કર્યું, PM મોદીએ બતાવી તેની રસીદ...

ભાજપે ફંડ એકઠું કરવા અભિયાન શરૂ કર્યું, PM મોદીએ બતાવી તેની રસીદ ; જાણો કેટલું ફંડ આપ્યું

નવી દિલ્હી,શનિવાર

   ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર ભંડોળ ઊભું કરવાની ઝુંબેશ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય તેના સભ્યો અને અન્ય લોકોના નાના યોગદાનથી ભંડોળ એકત્ર કરવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય કેટલાક પક્ષના નેતાઓએ અભિયાન હેઠળ દાન આપ્યું હતું અને દરેકને ફાળો આપવા અપીલ કરી હતી.

   એક ટ્વિટમાં મોદીએ કહ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટીના ફંડમાં એક હજાર રૂપિયાનું દાન કર્યું છે. આ વિશેષ અભિયાન રાષ્ટ્ર પ્રથમના આપણા આદર્શ અને જીવનભર નિઃસ્વાર્થ સેવાના આપણા કાર્યકરોની સંસ્કૃતિને વધુ મજબૂત કરશે. ભાજપને મજબુત બનાવવા માટે યોગદાન આપો, દેશને મજબૂત કરવા માટે યોગદાન આપો.

   એક ટ્વીટમાં નડ્ડાએ કહ્યું, “અમારા કાર્યકરો આ વિશેષ અભિયાન હેઠળ લાખો લોકોનો સંપર્ક કરશે. નમો એપનું ‘ડોનેશન’ મોડ્યુલ આ દાનની રકમ એકત્ર કરવાનું માધ્યમ બનશે. હું વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રવાદી ચળવળને મજબૂત કરવા લોકોના આશીર્વાદ માંગું છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW