મોરબી સીરામીક એસોસીએશનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટીડંમ્પીંગના ચાલતા પ્રશ્ર્ને લઈને કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયુષ ગોયલને સંસદભવન દિલ્હી ખાતે રૂબરૂ મળીને રજુઆત કરી જેમા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોહેલે ઉધોગકારોની રજૂઆત સાંભળી હતી અને મોરબી સીરામીક ના પ્રશ્ર્નોને લઈને મોરબી સીરામીકનુ મોટાભાગનુ એક્સપોટઁ જીસીસીના દેશોમા થતુ હોય આ પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ ખાતરી આપી હતી અને આ બાબતે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દૃારા લગાવેલ એન્ટીડંમ્પીંગના પ્રશ્ર્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે એવુ જણાવેલ આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદભાઈ ભાડજા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત હાજર રહ્યા હતા.

