ટી-20માં કેપ્ટનશીપ બાદ રોહિત શર્માને BCCI દ્વારા ODI ફોર્મેટના કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. રોહિત દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ODI શ્રેણીથી કમાન સંભાળશે.
લિમિટેડ ઓવરોની કેપ્ટનશિપને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. BCCIએ વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને ભારતીય ODI ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ T20 ટીમની કમાન છોડી દીધી હતી અને IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી. જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે બોર્ડ વિરાટ કોહલીને ODI કેપ્ટન તરીકે બદલી શકે છે.રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં કમાન સંભાળી, હવે દક્ષિણ આફ્રિકામાં રમાનારી ODI શ્રેણી રોહિત શર્માની પૂર્ણ સમયના ODI કેપ્ટન તરીકેની પ્રથમ શ્રેણી હશે.રોહિત શર્માએ અત્યાર સુધી 10 વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.

તેણે 8 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 2018માં UAEમાં રમાયેલ એશિયા કપ પણ જીત્યો હતો. વિરાટ કોહલીએ ODIમાં 95 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 65માં જીત, 27માં હાર અને 1 મેચ ટાઈ રહી હતી. તે જ સમયે, T20 ફોર્મેટમાં, વિરાટે 50 મેચોમાં કમાન સંભાળી છે, જેમાં તેણે 30 મેચ જીતી છે અને 16 મેચ હારી છે. વિરાટની કેપ્ટન્સીમાં 2 ટાઈ મેચ પણ રમાઈ છે.

