અમદાવાદ, રવિવાર
ભારત સરકારના સાંસ્કૃત્તિક મંત્રાલય દ્વારા આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંદર્ભે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ભારતમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગોળી સ્પર્ધામાં 14થી 45 વર્ષની ઉંમર સુધીના દેશના કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. રંગોળી બનાવવા માટેની તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે http://amritmahotsav. nic.in/rangolimaking-competition.htm વેબસાઈટ પર તા. 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. (1) જિલ્લા કક્ષાએ (2) રાજ્ય ક્ક્ષાએ તથા (3) રાષ્ટ્રીયકક્ષાએ આ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાના નિયમો પણ ઉપરની વેબસાઈટ પર જ જોઈ શકાશે.

