Friday, November 14, 2025
HomeNationalજાણો શા માટે મોબાઈલ નંબર 10 આંકડાનો હોય છે

જાણો શા માટે મોબાઈલ નંબર 10 આંકડાનો હોય છે

જ્યારે પણ આપણે કોઈને ફોન કરીએ છીએ, તે પહેલા આપણે નંબરનું વેરિફિકેશન કરીએ છીએ અને તપાસીએ છીએ કે નંબર 10 આંકડાનો છે કે નહીં? જો ભૂલથી 9 અથવા 11 અંકનો નંબર ડાયલ કરો છો, તો ફોનની રિંગ નથી વાગતી. શું તમે જાણો છો કે મોબાઈલ નંબર માત્ર 10 અંકનો જ કેમ હોય છે અને તેની પાછળનું કારણ શું છે?

ભારતમાં 10-અંકનો મોબાઈલ નંબર હોવા પાછળ સરકારની નેશનલ નંબરિંગ સ્કીમ એટલે કે NNP છે. જો મોબાઈલ નંબર એક ડિજિટનો હોય તો 0 થી 9 સુધી માત્ર 10 અલગ-અલગ નંબર જ બની શકે છે. જે પછી કુલ 10 નંબરો જ બનશે અને માત્ર 10 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે. બીજી તરફ 2 અંકનો મોબાઈલ નંબર હોય તો પણ 0 થી 99 સુધીના 100 નંબર જ બનાવી શકાશે અને માત્ર 100 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે.

હાલમાં દેશની વસ્તી લગભગ 130 કરોડ છે. જો નવ નંબરનો મોબાઇલ નંબર વપરાતો હોત તો ભવિષ્યમાં તમામ લોકોને નંબર ફાળવી શકાય નહીં. તે જ સમયે, જ્યારે 10-અંકનો મોબાઇલ નંબર બનાવવામાં આવે છે, તો ગણતરી અનુસાર એક હજાર કરોડ વિવિધ નંબરો બનાવી શકાય છે. આ જ કારણ છે કે ભવિષ્યમાં નંબરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 10 અંકનો મોબાઈલ નંબર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2003 સુધી દેશમાં માત્ર 9 અંકના મોબાઈલ નંબર હતા. પરંતુ વધતી વસ્તીને જોતા ટ્રાઈએ તેને વધારીને 10 અંકોનો કરી દીધો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page