ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના ઘર ઉપર રવિવારે ડ્રોનથી હુમલો થયો છે. આ હુમલામાં તે બચી ગયા હતાં. ઈરાકી સેનાના જણાવ્યા પ્રમાણે આજે સવારે બગદાદ સ્થિત પીએમ આવાસને નિશાન બનાવીને વિસ્ફોટકોથી લાદેલા એક ડ્રોનથી હુમલો કર્યો છે. તે પીએમ કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત 6 સુરક્ષાકર્મીઓને ઈજા પહોંચી હતી.
કોઈપણ સંગઠને અત્યારસુધી બગદાદના ગ્રીનઝોનમાં સ્થિત પ્રધાનમમંત્રી આવાસ ઉપર હુમલાની જવાબદારી લીધી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝોનમાં સરકારી ઈમારતો અને વિદેશી દુતાવાસ છે. કદીમીના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ ઉપર કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી સુરક્ષિત છે. લોકોને ચિંતા કરવાની જરૂરત નથી.
એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બે સરકારી અધિકારીઓને જણાવ્યું છે કે, કદીમીના ઘર ઉપર ઓછામાં ઓછો એક હુમલો થયો હતો. પીએમ રેસીડન્સની બહાર તૈનાત 6 સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હતી. ગ્રીન ઝોનમાં સ્થિત પશ્વિમ રાજનીતિજ્ઞઓ જણાવ્યું છે કે, તેણે ધમાકા અને ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
ઈરાકના પીએમ આવાસ ઉપર તે હુમલો એવા સમયે થયો છે. જ્યારે દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી સંસદીય ચુંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. વિતેલા શુક્રવારના રોજ બગદાદના ગ્રીન ઝોનન વિસ્તારની બહાર ઈરાન સમર્થક શિયા છોકરાઓના સમર્થકો અને હિંસા વિરોધી પોલીસની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે બાદમાં હિંસક બની હતી.
આ ઘટનામાં એક પ્રદર્શનકારીનું મોત નીપજ્યું હતુ અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં વધારે ઈરાકી સુરક્ષાદળોના સદસ્ય છે. પ્રદર્શનકારીઓએ સંસદીય ચુંટણીમાં મળેલી હારને પાયાવિહોણી કહી છે. ચુંટણીમાં ઈરાન સમર્થક છોકરાઓને સૌથી મોટી હારનું મોં જોવું પડ્યું હતું.