Sunday, March 23, 2025
HomeNationalઉત્તરાખંડના વિકાસનગર પાસે બસ ખીણમાં ખાબકી,11નાં મોત

ઉત્તરાખંડના વિકાસનગર પાસે બસ ખીણમાં ખાબકી,11નાં મોત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક બસ ખીણમાં ખાબકી હતી. દેહરાદૂન નજીક આવેલા વિકાસનગરમાં બસ પડી જવાની ઘટના બની છે. આ અકસ્માતમાં 11 વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ચારેયની સ્થિતિ નાજુક હોવાના વાવડ મળ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ રાહતકાર્ય હેતું દોડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા યુટિલિટી વ્હીકલમાં કુલ 25 લોકો બેઠા હતા. તંત્ર, પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માત બાયલા-બુરૈલા લિંક મોટર રોડ પર થયો હતો.

દેહરાદૂન જિલ્લાના ચકરાતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર આ અકસ્માત થયો હતો. વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ એક જ ગામના હોવાના વાવડ છે. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં થોડો સમય વધારે લાગી રહ્યો છે. પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોય શકે. 25 લોકો મીની બસમાં બેઠા હતા. જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં આટલા બધા લોકો બેસીને પ્રવાસ કરી રહ્યા હતા. ઉત્તરાખંડન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચકરાતાના બુલ્હાડ-બાયલા માર્ગ પર વાહન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈશ્વરને મૃતકોના આત્માને શાંતિ અને પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW