Monday, May 12, 2025
HomeReligionમાતાજીનું અનોખું મંદિર, જ્યાં શયન અવસ્થામાં છે દેવી

માતાજીનું અનોખું મંદિર, જ્યાં શયન અવસ્થામાં છે દેવી

આપણા દેશમાં એવા ઘણા મંદિરો આવેલા છે કે જે તેમના અનોખા રહસ્યોથી ઓળખાતા હોય છે. આવા જ મંદિરની આપણે વાત કરીશું. આ કાળાસર ગામમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. જે ચોટીલા તાલુકામાં આવે છે.

આ મંદિરમાં દર્શન કરવા માટે એક નાનકડો પહાડ પણ ચડવો પડે છે. જેમાં મા હિંગળાજ માતાની મૂર્તિ સિવાય બીજા પણ માતાજી અને ભગવાનની મૂર્તિ નું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. આ હિંગળાજ માતાની મૂર્તિના દર્શન કરવા એક ગુફામાંથી જવું પડે છે. આ મંદિરમાં માતાજી શયન મુદ્રામાં બિરાજમાન છે.આ મૂર્તિના દર્શન કરવાથી બધા ભક્તોના દુઃખ દૂર થઇ જાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ હિંગળાજ માતાની મૂર્તિ પહાડોની વચ્ચેથી નીકળી હતી. આ મંદિરમાં બહુ દુરદુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને બધા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે.

આ મંદિરમાં માતાજી શયન અવસ્થામાં હોવાથી ત્યાં દર્શન કરવા માટે ભારે ભક્તોની ભીડ જામે છે.આ મંદિરમાં જે ભક્તો શ્રધ્ધાથી દર્શને આવે છે. આ મંદિરમાં અનેક રહસ્યો પણ છુપાયેલા છે. બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW