નવી દિલ્હી,શનિવાર
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. કારણ કે ટેક્નોલોજી સતત બદલાતી રહે છે. તેમણે કહ્યું હતું કે, એક્ઝિક્યુટિવ અને કાનૂની બંને નિયમો ટેકનોલોજી સાથે બદલાઈ રહ્યા છે. તેઓ ક્યારેય સંપૂર્ણ સચોટ હોઈ શકતા નથી કારણ કે ટેક્નોલોજી સતત બદલાતી રહે છે.
નાણામંત્રીએ આ વાત ઈન્ફિનિટી ઈવેન્ટ દરમિયાન ગ્લોગમાં સર્વસમાવેશક વૃદ્ધિ માટે ફિનટેક પર પેનલ ચર્ચા દરમિયાન કહી હતી. નાણામંત્રીએ કહ્યું કે તેને નિયંત્રિત કરવા માટે આના પર સામૂહિક પ્રયાસ કરવા પડશે. ઈન્ડોનેશિયાના નાણા મંત્રી મુલ્યાની ઈન્દ્રાવતી અને મલેશિયાના નાણા મંત્રી તેંગકુ ઝફરુલ અઝીઝ પણ આ પેનલનો ભાગ હતા. આ પેનલનું સંચાલન વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયે કર્યું હતું.
નાણામંત્રીએ રાજ્યસભામાં શું કહ્યું ?
ગુરુવારે રાજ્યસભામાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું હતું કે તે એક જોખમી ક્ષેત્ર છે અને તેની પાસે સંપૂર્ણ નિયમનકારી માળખું નથી. તેમણે કહ્યું હતું કે તેની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આરબીઆઈ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.
સીતારમણે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ લાવવા જઈ રહી છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી અંગેના નિયમન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. કહ્યું કે અહીં ASCI છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે તેના તમામ નિયમોને જોવામાં આવી રહ્યા છે, જેથી તેઓ નક્કી કરી શકે કે જાહેરાતો પર શું કરી શકાય. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાંથી બિલ પાસ કરીને બિલ લાવશે. તે છેલ્લી વખત લાવવામાં આવ્યુ ન હતું કારણ કે ત્યાં અન્ય વસ્તુઓ હતી જે જોવાની હતી. આ મામલે ઝડપથી અનેક બાબતો સામે આવી છે. નાણામંત્રીએ કહ્યું કે તેનો હેતુ બિલમાં સુધારો કરવાનો હતો.

