મોરબી શહેરના શોભેશ્વર રોડ પર વિકાસ વિદ્યાલય નજીક આવેલા મફતિયાપરામાં રહેતા મનસુખભાઈ કાળુભાઈ મૂછડીયા (ઉંમર 40 વર્ષ)નું વીજ કરંટ લાગવાથી ગઈકાલના રોજ તેમનું અવસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કોઈ કારણસર તેમને વીજ શોક લાગ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

