HomeGujaratમોરબીમાં તા 18 અને 19મી મેએ સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહનું...

મોરબીમાં તા 18 અને 19મી મેએ સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહનું આયોજન

મોરબી શહેરમાં સ્ત્રી સશક્તિકરણ, સંસ્કાર સિંચન અને સમાજ નિર્માણમાં નારી શક્તિની ભૂમિકાને ઉજાગર કરવા માટે એક વિશેષ અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના અગ્રણી સામાજિક સંગઠનો દ્વારા સંયુક્ત રીતે “સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ” વિષય પર બે દિવસીય ભવ્ય સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

આ સમારોહમાં સ્ત્રીઓના જીવન મૂલ્યો, સંસ્કારો અને સમાજ ઘડતરમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને બહેનોને પ્રેરણા પૂરી પાડવા માટે જાણીતા પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી  પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરશે. બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી સ્ત્રી જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્વ અને માનસિક શાંતિ વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપશે.

આ બે દિવસીય કાર્યક્રમ

  • તારીખ: 18 અને 19 મે, 2026 (સોમવાર અને મંગળવાર)

  • સમય: રાત્રે 8:30 વાગ્યે

  • સ્થળ: શ્રી કન્યા છાત્રાલય, મોરબી

 આ ગરિમાપૂર્ણ અને સંસ્કારધામ સમાન કાર્યક્રમનું આયોજન  કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ – મોરબી, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ-મોરબી અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ – મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાના હોદ્દેદારો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગે સપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW