વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અને રાજાવડલા ગામે પોતાની વાડી ધરાવતા 62 વર્ષીય શૈલેષભાઈ અંબારામભાઈ મઢવીનું દુર્ભાગ્યવશ મોત થયું છે. માહિતી અનુસાર, તેઓ પોતાની વાડીમાં આવેલ કૂવામાં પડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માતજન્ય મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

