હળવદ તાલુકાના અજિતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ (ઉ.વ. 48) ગત તા. 4 માર્ચે પોતાનું એમપી-69-ઝેડડી-0631 નંબરનું બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા નજીક કે.ટી. મિલ પ્રાથમિક શાળા સામે બાઈક અચાનક સ્લીપ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈજાઓ ગંભીર હોવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

