હળવદના રણજીતગઢ ગામના મૂળ રહેવાસી અને હાલમાં હળવદ શહેરની શ્રીજી સોસાયટીમાં રહેતા સુજલભાઈ મનસુખભાઈ સોનગ્રા (ઉંમર 18) દ્વારા પોતાની મોટરસાયકલ અને મોબાઇલ હળવદ માનસર પાસે આવેલી નર્મદા કેનાલના સાઇફન નજીક મૂકી આપઘાતનો પગલું ભરવામાં આવ્યું હતું. તેઓ કેનાલના પાણીમાં ઝંપલાવતાં ડૂબી જવાથી તેમનું દુઃખદ અવસાન થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

