હળવદ તાલુકાના રણજીત ગઢ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત છોટાલાલ ભાઈ નારાયણભાઈ હડીયલ નામના 53 વર્ષીય ખેડૂત લાંબા સમયથી કેન્સરની સારવાર ચાલી રહી હતી જોકે સારવાર છતાં મોઢામાં થતી પીડા સહન થતી ન હોય અને તેના કારણે કંટાળી ગામની સીમમા આવેલી રમેશભાઇ ઠાકરશીભાઇ ચાવડાની વાડીમાં પડેલા સુકા જુવારના ઓધામા આગ લગાડી જાતે સળગી જતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જોક ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

