હિન્દુ સંસ્કૃતિમાં સામાન્ય તુલસીને પવિત્ર માની તેની પૂજા કરવામાં આવતી હોય છે. જોકે લોકો આ તુલસી ના છોડની આયુર્વેદિક ઉપયોગીતા પણ બાળકોથી વડીલો સુધી પહોચે તે માટે મોરબીની સાર્થક વિદ્યા મંદિરમાં 25 ડીસેમ્બર ના દિવસને છેલ્લા 10 વર્ષથી તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અને ત્યારે આજે ફરી એકવાર શાળા દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે શાળામાં સ્ટેજ કાર્યક્રમ, નાટકો બાળકો એ તૈયાર કરેલા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના પરીસર બહાર તુલસીથી તૈયાર થયેલી દવાઓ ચીજવસ્તુઓ ના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં આ ઉપરાંત પ્રાકૃતિક રીતે ઉછરેલા વિવિધ ફૂલ છોડનું પણ વિતરણ અને વેચાણ કામગીરી કરવામાં આવી હતી
આ તુલસી દિવસ ઉજવણી માં શાળા ના છાત્રો સ્ટાફ ઉપરાંત વાલીઓ અને અન્ય શહરી જનો પણ જોડાયા હતા.

