નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ આગામી 2 ઓક્ટોબરના રોજ વિજયા દશમી પર્વ છે અસત્ય પર સત્યના વિજયના તેમજ અધર્મ પર ધર્મની વિજયના પ્રતિક સમાન પર્વની મોરબીમાં સોસાયટી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમ થતા હોય છે તેમજ રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે જોકે મોરબી મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત દશેરા પર્વનિમિતે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યું છે આગામી 2 ઓક્ટોબર ના રોજ સામા કાંઠે એલ ઈ કોલેજ ગ્રાઉન્ડમાં સાંજે 7 વાગ્યે રામલીલા નાટક અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં મોરબી વાસીને જોડાવવા અને પરંપરાગત પ્રસંગની ઉજવણીમાં સામેલ થવા મોરબી મનપાના ડે કમિશ્નર કુલદીપસિહ વાળાએ જણાવ્યું છે

