મોરબીમાં મોડપર ગામ નજીક લૂંટાવદર જવાના રસ્તા પર આવેલી નદીમાં ગણેશ વિસર્જન બાદ કરણ રમેશભાઈ (ઉ.વ. 32) ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી યુવકના મોત અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી.