HomeGujaratચોમાસું પાક માટે આ સપ્તાહ અત્યંત મહત્વનું જો હજુ વરસાદ ખેચાશે તો...

ચોમાસું પાક માટે આ સપ્તાહ અત્યંત મહત્વનું જો હજુ વરસાદ ખેચાશે તો પાકની વૃદ્ધિ અવરોધાશે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની સમયસર અને શરુઆતના મહિનામાં જરૂરિયાત મુજબ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચાલુ વર્ષે ચોમાસું પાકનું પણ ખુબ સારું વાવેતર થયું છે અને ચોમાસું પાકના ઉજળા ચિત્રના સ્વપ્ન સેવાઈ રહ્યા હતા. જુલાઈ મહિનાના ત્રીજા  સુધી વરસાદી વાતાવરણ રહ્યા બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટ્યું અને બાદમાં વરસાદ  ખેંચાયો હતો, ઓગસ્ટ મહિનાના લગભગ 2 સપ્તાહ જેટલો સમય વીતવા છતાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા. જોકે કપાસ મગફળી સહિતના પાકની પિયતની જરૂરિયાત પૂરી કરી શકે તેવો વરસાદ થતા ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે, કારણ કે… મોટાભાગના ખેતરમાં કરેલ વાવેતર લગભગ દોઢથી પોણા બે મહિનાનો સમય થયો છે અને હવે મગફળીમાં ફૂલ અને સુયા બેસવાની હાલ સીઝન છે. આ સ્થિતિમાં પાકને પાણીની સૌથી વધુ જરૂર હોય છે. આ સ્થિતિમાં વરસાદ ખેચાતા જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે તે પિયત આપી પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોરબી માળિયા અને ટંકારા તાલુકાના જેટલા ગામમાં વરસાદ આધારિત ખેતી થાય છે. તેવા ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા છે. કપાસ મગફળી સહિતના તમામ પાક માટે આ સપ્તાહમાં વરસાદ થવો અત્યંત જરૂરી છે. જો આ સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાકનો વિકાસ અવરોધાશે પરિણામે સીઝન દરમિયાન સ્વસ્થ પાક જેટલું ઉત્પાદન આપી શકે તેટલું ઉત્પાદન ઓછી વૃદ્ધિ પામેલ છોડથી નહી આવી શકે આવી સ્થિતિમાં ખેડૂતને નુકશાન થવાની ભીતિ છે.

મોરબી જિલ્લામાં 11 ઓગસ્ટ સુધીમાં સરેરાશ કુલ 65 ઇંચ વરસાદ નોધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાનો 15.2  ઇંચ, ટંકારા તાલુકાનો 15.4 ઇંચ, વાંકાનેર તાલુકાનો 14.36 ઇંચ, હળવદ તાલુકાનો 10 ઇંચ જયારે માળિયામાં 9.2  ઇંચ વરસાદ નોધાયો છે.

ચોમાસું પાક વાવેતર થયાને લગભગ દોઢથી બે મહિના જેટલો સમય થયો છે અને મગફળીના પાકમાં ફૂલ અને સુયા બેસવાનો આ અત્યંત નજીકનો સમય છે અને આવી સ્થિતિમાં પાકને પુરતો ભેજ મળવો જરૂરી છે. પિયત ન મળતા સમયસર ફૂલ અને સોયા ન બેસે તો પાકની વૃદ્ધિ અટકે છે. કપાસની પણ આ સ્થિતિ છે, તેમાં અત્યારે પાણી અત્યંત મહત્વનું છે. મગફળી જેવા પાકમાં મુંડા અને સફેદ ફૂગ પણ આવવાની શરુ થઇ છે તો કપાસમાં થ્રીપ્સ નામની જીવાતનો પણ ક્યાંક ક્યાંક ઉપદ્રવ વધ્યો હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેથી  જે ખેડૂત પાસે પિયતની સુવિધા છે તેને આ સપ્તાહમાં પિયત આપી દેવું જોઈએ. જો હજુ એક સપ્તાહ વરસાદ ખેચાશે તો ચોમાસું પાકનું ચિત્ર બદલાઈ શકે છે તે કૃષિ તજજ્ઞ ડો. ગનીભાઈ પટેલે જણાવ્યું હતું.

માળીયા તાલુકાના ગામમાં સારા ચોમાસાની આશાએ વાવેતર ખુબ વધારે થયું હતું. જુન જુલાઈમાં અન્ય તાલુકાની સરખામણીએ ઓછો વરસાદ થયો છે અને અમારા તાલુકાના 42 ગામ એવા છે. જ્યાં સિંચાઈની કોઈ સગવડ નથી હજુ ગામના તળાવમાં એટલુ પાણી નથી હોતું કે ચોમાસું પાકને જીવનદાન મળી શકે અમે સિંચાઈ સુવિધા માટે લડીએ છીએ. જોકે તે જયારે મળે ત્યારે હાલ આ અઠવાડિયુ પાકના માટે અત્યંત મહત્વનું છે. અમે હાલ વીઘા દીઠ 5000 જેટલો ખર્ચ કરી નાખ્યો છે. આ સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાક નિષ્ફળ જશે તેવો અમને ભય છે તેમ ખેડૂત અગ્રણી ભાવેશભાઈ કાવરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW