HomeGujaratમોરબીની પાનેલી શાળામાં આચાર્યએ બાળકને એડમીશન આપવાની ના પાડવાનો આક્ષેપ

મોરબીની પાનેલી શાળામાં આચાર્યએ બાળકને એડમીશન આપવાની ના પાડવાનો આક્ષેપ

મોરબી તાલુકાની પાનેલી શાળામાં એક વાલી તેના બાળકનું એડમીશન લેવા માટે ગયા હોય શાળાના આચાર્યએ શાળામાં ઓલ રેડી સંખ્યા વધુ હોવાનું કહી એડમીશન આપવાની ના પાડી હોય અને આ બાબતે સોશ્યલ મીડિયામાં કોઈ વ્યક્તિ દ્વારા શિક્ષક સાથે એડમિશન કેમ નથી આપતા તેવી બાબતની ચર્ચાનો ઓડિયો વહેતો થયો છે જેમાં ફોન પર વાત કરતી વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળાના આચાર્ય એડમિશન આપવાની મનાઈ કરે છે.કારણ પૂછતા આચાર્ય સામેની વ્યક્તિને જણાવે છે કે શાળામાં હાલ 6 જ ઓરડા છે કે શાળામાં 750થી વધુની સંખ્યા છે. અને એક તરફ રિનોવેશન કામ ચાલતું હોવાથી શાળામાં બેસવાની જગ્યા નથી અને જે બાળકના એડમિશન માટે આવ્યા છે તે વાલી જે વિસ્તારમાં રહે છે તેની નજીકમાં એક શાળા છે અને તે શાળામાં તેઓને એડમીશન મળી શકે છે જેથી તેઓ ત્યાં એડમીશન કરાવી લેવા જણાવ્યું હતું .જેથી સામે ની વ્યક્તિ દ્વારા લેખિત માં લખવા જણાવ્યું હતું.

જોકે શિક્ષક દ્વારા શાળાની સમિતિમાં ફરિયાદ કરવા જણાવતા સામેની વ્યક્તિ દ્વારા ધમકી આપતા હોય એ રીતે
જોકે બીજી તરફ શાળાના આચાર્ય આશિષભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ પહેલા અન્ય લોકો પણ ફોન કરીને બાળકના એડમીશન માટે વાત કરી રહ્યા છે આ લોકો રૂબરૂ શાળાએ આવીને મુલાકાત લે તો સાચી સ્થિતિ ખ્યાલ આવે. હાલ શાળાનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે માત્ર 6 વર્ગમાં 750 બાળકો અભ્યાસ કરે છે. માત્ર એક બાળકના એડમિશનની વાત નથી, જો એકને આપું તો બીજા 30ને આપવું પડે.શાળામાં બાળકોને બેસવા જગ્યા નથી. ઓલરેડી બે શિફ્ટમાં અભ્યાસ કરાવીએ છીએ અને તે વાલીને મચ્છુમાં નગર વિસ્તારમાં આવેલી શાળા નજીક થાય છે તો તેઓ ત્યાં પણ એડમિશન મેળવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW