મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા પ્રાણી રંજાળ અંકુશ શાખા શરૂ કરવામાં આવી છે અને આ શાખા દ્વારા શહેરના રખડતા ઢોરોને પકડી ગૌશાળામાં મૂકવામાં આવતા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓ બાદ પણ શહેરના મુખ્ય માર્ગો હોય કે કે રહેણાંક વિસ્તાર ઠેર ઠેર હજુ પણ રખડતા ઢોર ડિંગો જમાવીને બેસી રહ્યા છે ત્યારે મોરબી વાસીઓને આ રખડતા ઢોરના ત્રાસમાથી ક્યારે કાયમી મુક્તિ મળશે તે મોટો સવાલ છે શું ગૌશાળામાં મૂકવામાં આવતા પશુઓ ખરેખર ત્યાં જ સચવાય છે કે ગૌ શાળાના સંચાલકો દ્વારા ફરી રસ્તા પર તો નથી છોડી દેવામાં આવતા ને પકડાયેલા ઢોરનું ટેગિંગ થાય છે કે કેમ તે તે પણ મોટો સવાલ છે.

