મોરબીના મહેન્દ્રપરા શેરીમાં રહેતા કિશોરભાઇ અદગામાને ડાયાબીટીશની બિમારી હોય અને આજરોજ વહેલી સવારે દારૂના નશાની હાલતમાં પોતાના ઘરની બહાર થોડે દૂર શેરીના નાકા પાસે પડી જતા માથાના પાછળના ભાગે વાગતા માથુ ફુટી જતા લોહી નિકળી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જયેશભાઈએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

