માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામે રહેતા સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા નામના પરિણતાએ ગત તા.03 મે ના રોજ પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મરણજનાર પરિણતાનો લગ્ન ગાળો 11 વર્ષનો હોવાનું સામે આવ્યું છે.

