135 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનાર ઝુલતા પુલ દુર્ઘટના કેસની ચાર્જ સીટ સેસન્સ કોર્ટમાં સબમિટ થયા બાદથી અલગ અલગ પક્ષ દ્વારા કરવામાં આવતી અરજીની એક પછી એક સુનવણી થઇ રહી છે અગાઉ પીડિત પરિવારોએ સીબી આઈ તપાસ તેમજ આરોપીઓસામે 302 ની કલમ ઉમેરવા અંગેની કરેલી અરજી સેસન્સ કોર્ટ હાઈકોર્ટમાં રદ થયા બાદ આરોપી જયસુખભાઈ પટેલ અને અન્ય 9 આરોપીઓ દ્વારા પોલીસ આં કેસમાં લગાવેલી કલમ 304 અને 308ની કલમમાંથી ડીસ્ચાર્જ કરવા સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી પર અગાઉ બન્ને પક્ષ દ્વારા તેની દલીલો કરવામાં આવી હતી બન્ને પક્ષની દલીલ બાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી પી મહીડા દ્વારા 29 એપ્રિલ સુધી તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો આજે સવારે કોર્ટ શરુ થતા સેસન્સ જજ દ્વારા તેનો આદેશ કર્યો હતો અને તમામ આરોપીઓની ડીસ્ચાર્જ અરજી રદ કરી હતી

