મોરબી તાલુકાના ભરત નગર અને બેલા ગામને જોડતા તેમજ પ્રશિદ્ધ ખોખરાધામ હનુમાનજીમાં મોટા પ્રમાણ લોકોની અવર જવર હોય તેમજ ઔધોગિક વિસ્તાર હોવાના કારણે ભારે વાહનોની પણ અવર જવર રહેતી હોવાથી ડામર રોડ લાંબા સમય સુધી ટકી શકતો ન હોવાથી મોરબી માળિયાના ધારાસભ્ય દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલને આ રોડ આરસીસી બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી જે રજૂઆત સીએમે મંજુર કરી હતી મોરબી મુલાકાત વખતે સીએમ એ અ રોડની તાંત્રિક મંજુરી પણ આપી દીધી હોવાની જાહેરાત કરી હતી હવે રૂ 30 કરોડના ખર્ચે બનનારા સીસી રોડના જોબ નંબર ફાળવાયા છે.
રાજ્ય સરકારે રોડ નિર્માણ કામગીરી માટે સરકારે મંજુરી અપાઈ તેમજ ઝડપીથી જોબ નંબર ફાળવી દેવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

