હળવદના ચંદ્રગઢ ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ગઈકાલના રોજ હળવદના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ થ્રેસર ઉપર કામ કરતા હતા, ત્યારે પાણીની ટાંકી જોવા ગયા હતા. જ્યાં ઉપર વીજ તારને અડકતા વીજ-કરંટ લાગતા તેઓનું મોત નીપજ્યું હતું. જેથી મૃતક પ્રકાશભાઈનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

