મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા નારણભાઈ લાભુભાઈ વરાણીયા નામના યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.