મોરબી જિલ્લાનું એક માત્ર નવલખી પોર્ટ કે જે વર્ષો પહેલા મોટા કાર્ગો જહાજની આવન જાવન તેમજ અનેકે પ્રકારના માલ લોડ અન લોડ થતો હતો અને બારમાસ ધમધમતા આ પોર્ટ હવે માત્ર કોલસા ના લોડ અન લોડ પુરતો સીમીતી થઇ ગયો છે જોકે આ પોર્ટનો વિકાસ થાય તો ફરી મોરબી સહીત રાજ્યની શાન બની શકે છે ત્યારે રાજ્ય સરકાર ફરી એકવાર તેના વિકાસ પર વેગ આપી રહ્યું હોય તેમ સમયાંતરે અલગ અલગ જાહેરાત કરે છે ત્યારે આજના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ફરી એકવાર જાહેરાત કરી છે જેમાં મોરબી જિલ્લાના નવલખી પોર્ટ તેમજ સુરતના મગદલ્લા પોર્ટના વિકાસ માટે 250 કરોડ ની જાહેરાત કરવામાં આવી છે

