મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો-ઓરડી વિસ્તારની અંદર અવાર નવાર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત આપવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
આમ તો આ ત્રાસ સમગ્ર મોરબી શહેરમાં અને થોડા સમય પેલા મોરબી શહેરમાં ઢોર પકડવાની ઝુંબેસ પણ થયેલ હોય પરંતુ, આ ઝુંબેસની કોઈ અસર મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં દેખાતી ન હોય અને ખાસ સો-ઓરડી વિસ્તાર માં મજૂર વર્ગ વધારે વસવાટ કરતો હોય જેથી તેમના નાના ભૂલકા તથા મોટાભાગના વાહન બહાર શેરીમાં જ પાર્ક કરતા હોય જેથી અહીંયા જાન-માલની નુકસાની થવાના ભય વધુ હોય અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલ હોય જેથી હવે આવનારા સમયમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈ નિર્દોષ ના ભોગ ન લેવાય અને મોરબી મહાનગર પાલિકા જવાબદારી સમજી અને રખડતા ઢોરના ત્રાસ થી વેલી તકે છુટકારો અપાવે એવી કમીશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

