કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવગઢ ગામના વતની ભગવાનજીભાઇ મુળાજીભાઇ દવેના પુત્રી દિકરી રસીલા ઉર્ફે જયશ્રીના લગ્ન કિશનભાઈ મુળાજી દવે સાથે થયા હતા લગ્ન ગાળા દરમિયાન પતિ કિશન અને જેઠ હામથાજી મુળાજી દવે અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા વારંવાર થતા ઝઘડા અને માર મારવાના કારણે રસીલા ઉફે જયશ્રીએ આપઘાત કરી લીધું હતો બનાવ બાદ ભગવાનજીભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પતિ કિશન મૂળાજી દવે અને હામથાજી મુળાજી દવે વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરીયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

