મોરબીના મકનસર (પ્રેમજીનગર) ગામે રહેતા રહેતા જયશ્રીબેન કિશનભાઇ જોષી (ઉ.વ.22)નામના પરિણીતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

