મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની નવયુગ કોલેજમાં ગઈકાલ પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલના સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ. જે. જે. રાવલે બ્રહ્માંડના જાણ્યા અજાણ્યા રહસ્યો અને માહિતી આપી તેઓએ બધી શોધનું મૂળ ભારત, સૂર્યની સંરચના, તેનું બ્રહ્માંડ માં સ્થાન અને મહત્વ – lagrange point વિશે માહિતી- ભારતના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ,- બ્રમ્હાન્ડ simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી. આ સેમિનાર સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા.

