આયુર્વેદિક ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ચુસ્ત આર્ય સમાજી એવા દયાળજી મૂની તરીકે ખ્યાતી મેળવનાર પદ્મશ્રી દયાળજી પરમારનું આજે અવસાન થયું હતું છેલ્લા કેટલાય સમયથી નાદુરસ્ત તબિયતને કારણે ઘરમાંથી બહાર ન નીકળી શકતાદયાળજી મૂની સ્થિતિ વધુ નાજુક થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબ દ્વારા બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે આજરોજ તેમનું અવસાન થયું હતું
આયુર્વેદ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર દયાળજી મૂનીએ સનાતન ધર્મના ચારેય વેદનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું આ ઉપરાંત આયુર્વેદ યુનીવર્સીટીમાં પ્રોફેસર તરીકે અનેક છાત્રોને અભ્યાસ કરાવ્યો હતો આ ઉપરાંતન અનેક પુસ્તકો લખ્યા હતા ચાલુ વર્ષે 26 મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાં જોકે તે સમયે પણ તબિયત નાદુરસ્ત હોવાથી હાજર ન રહી શકતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને ઘરે જઈ એવોર્ડથી સન્માનિત કર્યા હતા

