વાંકાનેરના લુણસર ગામની સીમમાં રહેતા દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 નામના વૃદ્ધને ગઈકાલના રોજ કોઈ કારણોસર વીજશોક લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

