મોરબીના એક્સપર્ટ આર્ટીકલ બોર્ડ નામના કારખાનામા કામ કરતા અને મૂળ યુપીના વતની કુલદિપકુમાર રામઓતાર મોર્યઅએ ગત તા.-14/09/2024 ના રોજ સિરામિકમાં કામ કરતાં હતા. તયારે કોઇ કારણસર આગ લાગતાં શરીરે દાઝી જતાં તેને પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

