વાંકાનેરના ઢુવા માટેલ રોડ નજીક આવેલ જેટ સિરામિકના લેબર કોલોનીમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના વતની બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષ નામના યુવાનની આર્થિક પરીસ્થિતી નબળી હોઇ અને તેને સ્વાસ લેવામાં તકલીફ હોઇ તથા પગમાં અપંગતા હોઇ વધુ કામ કરી શકતો ન હોઇ અને તેના વતનમાં પૈસા મોકલાવવાના હોઇ જેથી યુવાન માનસિક ટેન્શનમાં રહેતો હોઇ કંટાળીને યુવાનને ગઈકાલે રેલ્વે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કર્યો. બાદમાં આ બનાવ અંગે વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્તરને જાણ થતા તેને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

