મોરબી તાલુકાના આજવીટો સિરામિક લેબર કવાર્ટસમાં રહેતા મૂળ એમપીના વતની ઈશ્વરલાલ રણછોડભાઈ નિનામા નામના યુવાન ગત તા.-21/08/2024 ના રોજ સવારના સમયે કારખાના બહાર આવેલ ચાની કિટલીએ ચા પીવા માટે પગે ચાલતા જતા હતા. તે વખતે અચાનક યુવાનને ચક્કર આવી પડી જઈ બેભાન થઈ જતા તેને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

